જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતી એક મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા મોત નિપજ્યું
જામજોધપુર સમાચાર જામનગર તા ૧૫,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ગઢકડા ગામમાં રહેતી રહેમતબેન ઈરફાનભાઈ નામની ૪૩ વર્ષની સંધિ જ્ઞાતિની મહિલા ગઈકાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી તેમની બકરીઓને ઘાસ ચારો આપવા માટે પોતાના ખેતર ના શેઢે ગઈ હતી. જે દરમિયાન તેણીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં કપરી પરિસ્થિતિ થઈ હતી, અને બેશુદ્ધ બની હતી